ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે શુક્રવારે સાઉથહેમ્પટનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમાઈ રહી છે. વરસાદને કારણે પહેલા દિવસે ટોસ પણ થઈ શક્યો નથી. મેચમાં ICCએ 23 જૂન રિઝર્વ ડે પણ રાખ્યો છે. જો 4 દિવસમાં આ મેચનું પરિણામ નહીં આવે તો રિઝર્વ ડેનો ઉપયોગ કરાશે. પિચ અને રેકોર્ડ્સને ધ્યાનમાં લઈએ તો ટોસ જીતનારી ટીમ પહેલા બેટિંગ કરવાનું પસંદ કરશે
બંને ટીમ મેચ જીતીને વર્લ્ડ ટેસ્ટ ક્રિકેટમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માગે છે. આ મેચમાં ટોસ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ધ એજિસ બાઉલમાં અત્યારસુધી 6 ટેસ્ટ મેચ યોજાઇ છે, જેમાંથી પ્રથમ બેટિંગ કરનારી ટીમ 2 વાર અને બીજી ઈનિંગમાં બેટિંગ કરનાર ટીમ 1 વાર મેચ જીતી છે.